જેલ ખાતુ
http://www.prisons.gujarat.gov.in

આપે શું ન કરવું

7/4/2025 7:15:06 AM

આપે શું ન કરવું

 

  1. મુલાકાત માટે પાંચથી વધારે વ્યકિતઓએ એક સાથે આવવું જોઇએ નહી.

 

  1. મુલાકાત રુમમાં ઘોંઘાટ તેમજ રાજકીય બાબતોની ચર્ચા કરવી જોઇએ નહી.તેમજ જેલ સત્તાવાળાઓ સમજી શકે તેવી ભાષામાંજ વાતચીત કરવી જોઇએ.

 

  1. ચાલુ મુલાકાતમાં કેદી સાથે કોઇપણ જાતની લેવડ-દેવડ કરવી જોઇએ નહી.

 

  1. બીનજરુરી ખાસ મુલાકાતની માંગણી કરવી જોઇએ નહી.

 

  1. પત્ર સાથે જવાબી પોસ્ટકાર્ડ તથા આંતરદેશીય અને પોસ્ટલ કવર સાથે નાણાંકીય નોટસ જેવી વસ્તુઓ મોકલવી જોઇએ નહી.

 

  1. પાકા કામના કેદી માટે અંગત કપડાં, બિસ્તર, ખોરાક વિગેરે પાત્રતા ધરાવતા ન હોય આપવા આગ્રહ કરવો જોઇએ નહી.

 

  1. કેદીના ખાતામાં જમા કરાવવા રોકડ રકમ જેલ કર્મચારીને આપવી જોઇએ નહી.

 

  1. પાકા કામના કેદીઓ જેમની અપીલ પેન્ડીંગ હોય તેમના કિસ્સામાં તેમજ કાચા કામના કેદીઓ માટે પેરોલ અરજી કરવી જોઇએ નહી.

 

  1. પાત્રતા ધરાવતા કેદી પોતે ફર્લો અરજી કરતા હોય આવી અરજી કરવી જોઇએ નહી.