જેલ ખાતુ
http://www.prisons.gujarat.gov.in

જેલોમાં ઉદ્યોગો

7/2/2025 3:11:06 AM

જેલ ઉદ્યોગો

જેલોમાં ચાલતા વિવિધ ઉદ્યોગોમાં થયેલ ઉત્‍પાદનની વિગતો

વિવિધ ઉદ્યોગો

૨૦૧૯-૨૦

૨૦૨૦-૨૧

૨૦૨૧-૨૨

૨૦૨૨-૨૩

૨૦૨૩-૨૪

વણાટ

૩,૧૬,૨૮,૪૩૫=૦૦

૩,૩૩,૨૮,૭૧૩ =૦૦

૩,૨૭,૯૫,૩૮૯=૦૦

૨,૯૬,૩૪,૬૪૦.૫

૩૮૬૯૪૦૩૬.

દરજી

૧,૫૮,૭૧,૫૫૨=૦૦

૧,૨૬,૧૮,૬૩૧ =૦૦

૧,૧૬,૨૧,૯૩૯=૦૦

૧,૨૮,૮૯,૫૪૧.૩૨

૧૪૨૪૭૩૬૪.

સુથારી

૭૫,૪૭,૪૫૬=૦૦

૮૩,૧૮,૨૧૦ =૦૦

૬૯,૯૬,૮૭૫=૦૦

૯૦,૮૯,૯૭૭.૦૪

૮૦૧૫૯૫૯.

કેમિકલ

૨૧,૪૨,૪૮૬=૦૦

૨૯,૪૦,૬૩૯ =૦૦

૨૩,૧૩,૭૦૦=૦૦

૨૫,૪૭,૦૫૭.૪૧

૨૫૬૯૩૩૪.

બેકરી

૨,૫૧,૮૨,૭૦૦=૦૦

૧,૫૦,૪૬,૯૧૪ =૦૦

૨,૬૮,૮૧,૮૨૫=૦૦

૩,૨૨,૭૯,૪૬૯.૬૪

૪૦૦૮૬૨૨૨.

ભજીયા હાઉસ

૧,૧૧,૭૯,૮૬૧=૦૦

૪૫,૨૭,૪૭૨ =૦૦

૭૫,૯૫,૨૮૦=૦૦

૮૬,૪૭,૭૬૧.૭૬

૧૦૦૫૪૬૭૬.

પ્રિન્‍ટીંગ

૧,૬૬,૫૯,૫૫૧=૦૦

૧,૨૧,૧૮,૯૫૫ =૦૦

૧,૩૪,૧૧,૩૩૭=૦૦

૧,૭૩,૧૨,૦૧૦.૪૯

૧૮૫૭૨૭૦૦.

ધોબી

૭,૭૯,૬૦૯=૦૦

૫,૧૦,૦૮૯ =૦૦

૫,૩૧,૭૮૯=૦૦

૬,૪૮,૦૯૭.૪૧

૬૬૫૦૩૬.

કુલ

૧૧,૦૯,૯૧,૬૫૦=૦૦

૮,૯૪,૦૯,૬૨૨=૦૦

૧૦,૨૧,૪૮,૧૩૪=૦૦

૧૧,૩૦,૪૮,૫૫૫=૦૦

૧૩,૨૯,૦૫,૩૨૭=૦૦

ખેતીવાડી ઉત્પાદન અને પેટ્રોલ સ્ટેશનનુ વેચાણની માહિતી

 

ખેતીવાડી

૯૮,૯૧,૩૫૭=૦૦

૯૪,૭૬,૦૪૬=૦૦

૮૨,૧૧,૭૯૪=૦૦

૧,૪૧,૯૩,૧૨૪

૧,૭૭,૧૮,૫૧૪

પેટ્રોલ સ્ટેશન

૧૫,૬૧,૬૪,૩૬૧=૦૦

૧,૭૪,૪૫,૨૮૭=૦૦

૧૬,૦૩,૬૧,૬૫૯=૦૦

૨૭,૪૪,૪૬,૫૪૨=૦૦

૨૪,૬૬,૯૪,૭૪૫=૦૦

કુલ

૧૬,૬૦,૫૫,૭૧૮=૦૦

૨,૬૯,૨૧,૩૩૩=૦૦

૧૬,૮૫,૭૩,૪૫૩=૦૦

૨૮,૮૬,૩૯,૬૬૬=૦૦

૨૬,૪૪,૧૩,૨૫૯=૦૦

 
  • પ્રતિ વર્ષ સરેરાશ  થી ૨૫ કરોડનું જેલ ઉદ્યોગોમાં ઉત્પાદન કરવામાં આવે છે.
  • ઉદ્યોગ  અને ખાણ વિભાગના ઠરાવ ક્રમાંકઃ એસ.પી.ઓ./૧૦૨૦૧૫/૬૯૧૦૯૩/ચ, તા. ૦૧/૦૭/૨૦૧૯ ના ઠાવથી સરકારના વિભાગો દ્વારા જેલ ખાતા પાસેથી વિના ટેન્ડરે રૂ. ૧૫ લાખ સુધી સીધી ખરીદી કરી શકાય છે.
  • હિસ્ટોરીકલ ગેલેરીમાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં આઝાદીના આંદોલનમાં જોડાયેલ મહાનુભવો મહાત્મા ગાંધીજી તા.૧૧-૦૩-૧૯૨૨ થી તા.૨૦-૦૩-૧૯૨૨ સુધી, પૂજ્ય કસ્તુરબા ગાંધી તા.૧૭-૦૩-૧૯૩૨ થી તા.૨૧-૦૯-૧૯૩૩ અને તા.૦૮-૦૮-૧૯૩૩ થી તા.૧૯-૦૮-૧૯૩૩ સુધી, સરદાર વલ્લભભાઈ પટેલ તા.૦૭-૦૩-૧૯૩૦ થી તા.૨૫-૦૬-૧૯૩૦ સુધી, લોકમાન્ય બાળગંગાધર તિલકજી તા.૨૩-૦૭-૧૯૦૮ થી તા.૧૩-૦૯-૧૯૦૮ સુધી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી તા.૨૯-૦૪-૧૯૩૦ થી તા.૦૮-૦૩-૧૯૩૧ સુધી, પૂજ્ય રવિશંકર શિવરામ વ્યાસ, મહાદેવભાઇ દેસાઇ, અબ્બાસ તૈયબજીજેવા મહાનુભવોની સ્મૃતિઓ તથા આ મહાનુભવોની ઝાંખીઓ દેશ અને સમાજના લોકો સુધી પહોંચાડી શકાય તે માટે આ ઔદ્યોગિક સંકુલમાં અદ્યતન ભજીયા હાઉસ કમ રેસ્ટોરન્ટ કમ હિસ્ટોરીકલ ગેલેરી બનાવવામાં આવશે.

 

 

 

રાજયની જેલોમાં ચાલતા ઉદ્યોગો

વણાટ વિભાગ

કેદી કાપડ, કેદી ધાબળા, કેદી શેત્રંજી, સુપર ડુંગરી કાપડ, હોસ્પિટલ કાપડ નં.૮, પોલીસ/એસ.આર.પી. તંબુ, ફસ્‍ટ-સેકન્‍ડ કાપડ, ડસ્‍ટર કાપડ, ફાઈલ લેસ, ફાઈલ ટેગ, પોલીસ શેત્રંજી, હનીકોમ્‍બ ટુવાલ, ટક્સિ ટુવાલ, ડોબી ચાદરો, શેતરંજીઓ, આસનીયાઓ, પંજા શેત્રંજી (વો ટુ વો), નિવાર પાટી, નાડા પાટી, દોરી, દોરડા, ચુંટણી માટે ટવાઈન બોલ, સિલિંગ ટેપ વગેરેનું ઉત્‍પાદન કરવામાં આવે છે.

સુથારી વિભાગ

દરેક પ્રકારના ટેબલ, રેક, ખુરશી, દિવાન પાટ, ટિપોઈ, પેટી પલંગ, કોર્નર, નકશીકામનું ફર્નિચર,  દરેક ફર્નિચર રીપેરીંગ, સ્‍ટીલ કબાટ, રેક ગ્રાહકની માંગણી પ્રમાણે બનાવી પૂરૂં પાડવામાં આવે છે. 

બેકરી વિભાગ

બ્રેડ, ટોસ, ખારી, સાદી બિસ્‍કીટ, કેક, સેવ, ચેવડો, મોહનથાળ, કાજુ બિસ્કીટ, નાનખટાઈ, ભાખરવડી, ફરસીપુરી, સક્કરપારા, ફુલવડી, મીકસ ચેવડો, મીઠી બુંદી,  શિયાળામાં અડદપાક, મેથીપુરી, વગેરે નિયમિત તથા પ્રસંગોપાત બનાવવામાં આવે છે. અમદાવાદ,  લાજપોર (સુરત) મધ્‍યસ્‍થ જેલ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા કોલોની ખાતે ભજીયા બનાવી જાહેર જનતામાં વેચાણ કરવામાં આવે છે. રાજકોટ મધ્યસ્થ જેલ સંચાલિત કાલાવાડ રોડ ઉપર આવેલ ભજીયા હાઉસમાં ફાફડા, જલેબી તેમજ ચાનું જાહેર જનતામાં વેચાણ કરવામાં આવે છે.

દરજી વિભાગ

કેદીકપડાંની સિલાઈ, જેલ રક્ષકવર્ગ, પોલીસ તેમજ એસ.આર.પી.ના કર્મચારીઓના યુનિફોર્મ સિલાઈ, પોલીસ/એસ.આર.પી. તંબુ બનાવવા, જાહેર જનતાના કપડાં સિલાઈ, પેન્‍ટ, શર્ટ, પંજાબી સુટ, સ્‍કુલ બેગ, લેડીઝ બેગ, ઓફિસ બેગ, વગેરે સિલાઈકામ તેમજ તૈયાર માલ જાહેર જનતામાં વેચાણ કરવામાં આવે છે. 

કેમિકલ વિભાગ

સાબુ ગોટી, ડીટરજન્‍ટ પાઉડર, કલીનીંગ પાઉડર, સીલીંગ વેકસ, ગુંદર, ચોક, સ્‍ટીક, સુગંધિત અને શિકાકાઈ સાબુ, લીમડા સાબુ, લીકવીડ સોપ ડીટર્જન્‍ટ, વ્હાઈટ ફીનાઇલ, બ્લેક ફીનાઇલ,  વગેરે બનાવવામાં આવે છે.     

પ્રિન્‍ટીંગ વિભાગ

જેલ ખાતાની તેમજ અન્ય સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓના જરૂરીયાત મુજબના ફોર્મ્સ, રજીસ્‍ટરો, પોલીસ સ્‍ટેશન માટેના જરૂરી ફોર્મ- રજીસ્‍ટરો, જુદા-જુદા માપના ટપાલ કવર ઓર્ડર મુજબ બનાવી પૂરાં પાડવામાં આવે છે. જે માટે ઓફસેટ પ્રિન્‍ટીંગ, ટ્રેડલ પ્રિન્‍ટીંગ વગેરે મશીનરીનો ઉપયોગ થાય છે. તેની સાથે સાથે સ્‍ક્રીન પ્રિન્‍ટીંગ, બાઈન્ડીંગ પણ કરવામાં આવે છે. 

ધોબી વિભાગ

જેલ સ્‍ટાફ તથા અન્‍ય સંસ્‍થાઓથી આવતા કપડાંઓની ધોલાઈ તથા અસ્રી કરી આપવામાં આવે છે.    

ખેતીકામ

અમદાવાદ, અમરેલી, જુનાગઢ ઓપન જેલોખાતે કેદીઓ દ્વારા ખેતીકામ કરવામાં આવે છે તેમજ ગૌશાળામાં રહેલ પશુધન  માટે ઘાસચારાનું ઉત્‍પાદન કરવામાં આવે છે.કેદીઓ માટે વિવિધ પ્રકારની શાકભાજીનું ઉત્‍પાદન કરવામાં આવે છે.

ગોપાલન

અમદાવાદ, અમરેલી, જુનાગઢ ઓપન જેલો તેમજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ગૌશાળા આવેલ છે. જેમાં ખેતીવાડી સાથે ગોપાલન કરી મળતું દૂધ કેદીઓ માટે કેન્‍ટીનમાં વેચાણ કરવામાં આવે છે તથા જેલ સ્‍ટાફ તેમજ જાહેર જનતામાં પણ વેચાણ કરવામાં આવે છે. ગૌમૂત્રમાંથી ગૌમૂત્ર અર્ક, ફીનાઈલબનાવવામાં આવે છે તથા જાહેર જનતા માટે વેચાણ કરવામાં આવે છે. વડોદરા અને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે વર્મી કંમ્પોસ્ટ બનાવવામાં આવી રહેલ છે. 

 

 

 ભજીયા હાઉસ

  • અમદાવાદ મધ્‍યસ્‍થ જેલ ખાતે સુભાષબ્રિજ સર્કલ પાસે જેલ તાબાની જમીનમાં વેચાણ કેન્‍દ્ર બનાવી જેલ ઉત્પાદિત ચીજ-વસ્‍તુઓનું વેચાણ કરવામાં આવે છે. તથા મેથીના ભજીયા તૈયાર કરી જાહેર જનતામાં વેચાણ કરવામાં આવે છે. જેને સારી એવી પ્રસિદ્ધિ મળી છે. બટાકાપુરી (બટાકા ભજીયા)નું પણ વેચાણ નવતર પ્રયોગરૂપે શરૂ કરવામાં આવેલ છે. જેને જાહેર જનતાનો બહોળો પ્રતિસાદ મળેલ છે. આ કેન્દ્ર ખાતે ભજીયાનું સરેરાશ રોજીંદુ રૂા.૨૫,૦૦૦=૦૦ નું વેચાણ થાય છે. જેનાથી સરકારશ્રીને સારી આવક મળી રહે છે.
  • લાજપોર (સુરત) મધ્‍યસ્‍થ જેલ સંચાલિત જુની જેલ રીંગ રોડ તથા લાજપોર જેલ ખાતે ભજીયા હાઉસ ચલાવવામાં આવે છે.
  • સોમનાથ ખાતે તા.૨૨-૧૧-૨૦૨૩ થી તા.૨૬/૧૧/૨૦૨૩ સુધી કાર્તિકી પૂર્ણિમાના મેળામાં જેલ વિભાગ તરફથી કેદી ઉત્પાદિત ભજીયા સ્ટોલ શરૂ કરવામાં આવેલ. જેમાં જાહેર જનતાનો સારો પ્રતિભાવ મેળવી માત્ર પાંચ દિવસમાં રૂ.૩,૫૨,૩૨૦=૦૦ નું ભજીયાનું વેચાણ કરવામાં આવેલ.

કેદી સંચાલિત પેટ્રોલ પંપ

  • વડોદરા મધ્યસ્થ જેલ હસ્તકની દંતેશ્વરઓપન જેલ ખાતે ‘પ્રિઝનર્સ વેલ્ફેર ફંડ પેટ્રોલ સ્ટેશન’ના નામથી તા.૦૩/૦૪/૨૦૧૮થી કેદી સંચાલિત પેટ્રોલ પંપ કાર્યરત છે. જેની સફળતાથી પ્રેરાઈને રાજયની અન્ય જેલો ખાતે કેદી સંચાલિત પેટ્રોલ પંપ શરૂ કરવાની કાર્યવાહી ગતિમાં છે. 

 

 

 

 

 

 

 

 

 

રાજયના જેલ ઉદ્યોગોમાં કાર્યરત ઉદ્યોગઃ  

સજા પામેલા કેદીઓને વ્‍યાવસાયિક તાલીમ સહ ઉત્પાદનના ધોરણે જેલમાં રોજગારી આપી સમાજમાં પુનઃસ્‍થાપિત કરવાનો હેતુ સિદ્ધ કરવા માટે રાજયની નીચે જણાવેલ વિગતે જેલો ખાતે વિવિધ પ્રકારના ઉદ્યોગો ચલાવવામાં આવે છે.

અમદાવાદ મધ્યસ્થ જેલ

વડોદરા

મધ્યસ્થ જેલ

રાજકોટ

મધ્યસ્થ જેલ

લાજપોર

મધ્યસ્થ જેલ

જુનાગઢ

જીલ્લા જેલ

ભાવનગર

જીલ્લા જેલ

વણાટ વિભાગ

વણાટ વિભાગ

વણાટ વિભાગ

વણાટ વિભાગ

વણાટ વિભાગ

વણાટ વિભાગ

સુથારી વિભાગ

સુથારી વિભાગ

સુથારી વિભાગ

--

સુથારી વિભાગ

--

દરજી વિભાગ

દરજી વિભાગ

દરજી વિભાગ

દરજી વિભાગ

દરજી વિભાગ

--

ભજીયા વિભાગ

ભજીયા વિભાગ

ભજીયા વિભાગ

ભજીયા વિભાગ

--

--

બેકરી વિભાગ

બેકરી વિભાગ

બેકરી વિભાગ

બેકરી વિભાગ

બેકરી વિભાગ

બેકરી વિભાગ

ધોબી વિભાગ

ધોબી વિભાગ

ધોબી વિભાગ

ધોબી વિભાગ

ધોબી વિભાગ

ધોબી વિભાગ

પ્રેસ વિભાગ

પ્રેસ વિભાગ

--

સુથારી વિભાગ

--

--

--

કેમીકલ વિભાગ

--

--

--

--

 
  • રાજયની જેલોમાં તાલીમસહ ઉત્‍પાદનના ધોરણે ચલાવવામાં આવતા વણાટ, સુથારી, બેકરી, દરજી, કેમીકલ, પ્રેસ તથા ભજીયા હાઉસ જેવા ઉદ્યોગોમાં કેદીઓને વ્‍યાવસાયિક તાલીમ આપવામાં આવે છે. સાથોસાથ બિનકુશળ કેદીઓને રૂ. ૧૧૦/-, અર્ધકુશળ કેદીઓને રૂ.૧૪૦/-અને કુશળ કેદીઓને રૂ. ૧૭૦/- ના દરે વેજીસ ચૂકવવામાં આવે છે.
  • જેલ ઉદ્યોગો ‘નહિ નફો નહિ નુકશાન’ના ધોરણે પડતર કિંમત ઉપર ફકત ૧૦ % નફો લઇ ચલાવવામાં આવે છે.જેલ ઉત્‍પાદનના વેચાણ દ્વારા ઊભી થનાર આવક સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવે છે.
  • જેલજીવન દરમિયાન કેદીઓએ મેળવેલ વ્‍યાવસાયિક કુશળતાનો ઉપયોગ કરી જેલમુકત થયા પછી પોતાની આજીવિકા કમાઈ શકે અને સમાજમાં એક સારા નાગરિક તરીકે પુનઃસ્‍થાપિત થઈ શકે છે
  • GUJPRIDE”લોગોઃ

 

  • જેલ વિભાગની ચીજવસ્તુઓને લઇને જાહેર જનતામાં વિશિષ્ટ છાપ ઊભી થાય તેમજ “GUJART PRISON PRODUCT”નું વેચાણ વધે તે હેતુથી જેલ ઉત્પાદનના પ્રવર્તમાન માર્કેટીંગ ઉપાયો મુજબ આકર્ષક પેકજીંગ માટે અમદાવાદ મધ્યસ્થ જેલ દ્વારા તૈયાર કરવામાં આવેલ “GUJPRIDE”લોગો ડિઝાઈનમાં “GUJARAT PRISON DEPARTMENT” ને ટૂંકમાં સમાવેશ કરેલ છે. તેમજ ગુજરાત ગૌરવ એમ બે અર્થનો સમાવેશ કરવામાં આવેલ છે. વધુમાં સદર લોગો ડીઝાઇનમાં રાજયની જેલોમાં રહેલ બંદીવાનો સરકારશ્રીના સુરક્ષિત હાથોમાં રહેલ છે. જેલ મુક્ત થયેથી સમાજની મુખ્ય ધારામાં ભળી શકે તે હેતુથી જેલમાં જ કૌશલ્ય વિકાસ તાલીમ સહ ઉત્પાદન કરવામાં આવી રહેલ છે. બંદીવાનોમાં વિવિધ કૌશલ્ય હાંસલ કરી જેલમાં જ તેમજ જેલ મુકત થયેથી રોજગારી મળી રહે તે રીતે ઊંચી ઉડાન ભરતું પંખી દર્શાવેલ છે. “GUJPRIDE” લોગોને સરકારશ્રી તરફથી મંજુરી આપવામાં આવેલ છે.

 

પેટ્રોલ પંપ - ‘પ્રિઝનર્સ વેલ્ફેર ફંડ પેટ્રોલ સ્ટેશન’

  • વડોદરા મધ્યસ્થ જેલ હસ્તકની દંતેશ્વર ઓપન જેલ ખાતે ‘પ્રિઝનર્સ વેલ્ફેર ફંડ પેટ્રોલ સ્ટેશન’ના નામથી તા.૦૩/૦૪/૨૦૧૮થી કેદી સંચાલિત પેટ્રોલ પંપ કાર્યરત છે. પેટ્રોલ સ્ટેશન ખાતે પેટ્રોલ, ડીઝલ તેમજ અન્ય પેટ્રોલિયમ પેદાશોનું વેચાણ કરવામાં આવી રહેલ છે. રૂ.૭,૦૦,૦૦૦-૦૦ નું આશરે દૈનિક વેચાણ થાય છે. વેચાણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહેલ છે.

રાજયની જેલો ખાતે કાર્યરત ગૌશાળાઃ 

  • કેદી સુધારણા પ્રવૃત્તિ અન્વયે રાજયમાં અમદાવાદ અને અમરેલી ખાતે બે ઓપન જેલ કાર્યરત હતી. વર્ષ ૨૦૧૭ માં જુનાગઢ તથા વર્ષ ૨૦૨૧માં દંતેશ્વર (વડોદરા) ખાતે નવી ઓપન જેલ કાર્યરત કરી રાજયની ચાર ઓપન જેલ કાર્યરત કરવામાં આવી.ઓપન જેલોમાં પશુપાલન, ખેતીવાડી, વિગેરે રોજગારલક્ષી કામો કરવામાં આવે છે.

ક્રમ

જેલનું નામ

ગૌશાળા શરૂ કરવામાં આવેલ વર્ષ

અમદાવાદ ઓપન જેલ

૧૯૯૫

અમરેલી ઓપન જેલ

૧૯૯૫

રાજકોટ મધ્યસ્થ જેલ

૨૦૧૨

પાલારા (ખાસ) જેલ

૨૦૧૨

જુનાગઢ જીલ્લા જેલ

૨૦૧૯

નડીયાદ જીલ્લા જેલ

૨૦૨૦

દંતેશ્વર (વડોદરા) ઓપન જેલ

૨૦૨૧