કેદીઓનો બહારની દુનિયા સાથે સંપર્કઃ
- જેલ સમાજનો એક ભાગ છે.
- કેદીઓ તેમનાં સગાં-સંબંધી-મિત્રો, કાયદાકીય સલાહકાર વગેરે સાથે પત્ર અને મુલાકાત દ્વારા સંપર્ક સાધી શકે છે.
- કેદીઓ પુસ્તકો, વર્તમાનપત્રો વગેરે મેળવી શકશે.
કેદીઓની ફરિયાદઃ
કેદીઓ પોતાની મુશ્કેલી રજૂ કરી શકે તે માટે યોગ્ય સ્થળ પર ફરિયાદ પેટી મૂકવામાં આવી છે.
એક ફરિયાદ પેટી નામદાર સેશન્સ કોર્ટના જજશ્રીની કચેરી તરફથી રાખવામાં આવી છે. જે કોર્ટ સ્ટાફ મારફત ખોલવામાં આવે છે. અને નામદાર સેશન્સ જજશ્રી દ્વારા નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.
દરેક જેલ ઉપર એક ફરિયાદ પેટી મૂકવામાં આવી છે. જેમાં આવી ફરિયાદોનો નિકાલ જેલોના ઇન્સ્પેક્ટર જનરલશ્રીની કચેરી મારફત કરવામાં આવે છે. આ પેટીઓની ચાવી જેલોના ઇન્સ્પેક્ટર જનરલશ્રીની કચેરીના અધિકારી પાસે રહે છે. તેઓ દ્વારા પેટીમાંથી ફરિયાદોનો વહીવટી અધિકારી મારફત જેલોના ઇન્સ્પેક્ટર જનરલશ્રીના પરામર્શમાં રહી યોગ્ય નિકાલ કરવામાં આવે છે. જેલ વિજિટર્સ બોર્ડના સરકારી તેમ જ બિનસરકારી સભ્યો દર ત્રણ મહિને જેલની મુલાકાત લઈ કેદીઓની ફરિયાદ સાંભળી તેનો નિકાલ કરે છે.
ખાસ પ્રકારના કેદીઓ
સ્ત્રી કેદીઃ
· પુરુષ આધિપત્યવાળા સમાજમાં સ્ત્રી કેદીઓ લઘુમતીમાં છે તેથી તેમની અવગણના ન થાય તેની કાળજી રાખવામાં આવે છે.
· સ્ત્રી કેદીઓને પુરુષથી અલાયદા સ્ત્રી " Enclosure" માં રાખવામાં આવે છે.
· સગર્ભા સ્ત્રી કેદીઓ તથા સ્તનપાન કરાવતી સ્ત્રી કેદીઓને વિશેષ આહાર, દૂધ, ટોનિક વગેરે આપવામાં આવે છે. તથા ગાયનેકોલોજિસ્ટની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે.
· સ્ત્રી કેદી સાથે રહેલાં બાળકોને પણ વિશેષ આહાર, દૂધ, રમકડાં વગેરેની સગવડો પૂરી પાડવામાં આવે છે.
· અમદાવાદ-વડોદરા-રાજકોટ જેલો ખાતે અલગ મહિલા જેલ બનાવવામાં આવી રહી છે. જેનું સંચાલન મહિલા સ્ટાફ દ્વારા કરવામાં આવશે.
બધા કેદીઓ સાથે સમાન વ્યવહારઃ
· બધા જ પ્રકારના માનવો જન્મે સ્વતંત્ર છે અને સમાન હક્કો ધરાવે છે.
· દરેક કેદીને વિચારસરણી અને ધર્મની સ્વતંત્રતા છે. દરેક કેદીને ધાર્મિક વિચારસરણીની સ્વતંત્રતા છે.
· જેલમાં જાતીય-પ્રાદેશિક ભેદભાવ ન હોવા જોઈએ.
દેહાંતદંડની સજાવાળા કેદીઃ
· મૃત્યુદંડની શિક્ષાનો અમલ શક્ય તેટલી ઓછી તકલીફયુક્ત પદ્વતિથી કરવો જોઈએ.
· મૃત્યુદંડની શિક્ષાના કેદી અને તેના કુટુંબની જરૂરિયાતો પ્રત્યે જેલના કર્મચારી, અધિકારીઓએ સંવેદનશીલતા દાખવવી જોઈએ.
સજા સિવાયના કેદીઓઃ
· ગુનેગારોનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ હોવાનું માનવામાં આવે છે.
· જામીન પર છૂટવા તેમ જ જેલમાં અટકમાં રાખવાની કોર્ટ દ્વારા વિચારણા કરવાની કાર્યવાહી ત્વરાથી થવી જોઈએ.
· પોતાનો બચવા કરવા કાયદાકીય સલાહકાર સાથે ગુપ્ત મુલાકાત કરી શકે.
· યોગ્ય સમયમાં કેસ ચલાવવો જોઈએ અથવા મુક્તિ મળવી જોઈએ.
· સજાવાળા કેદીઓથી અલગ રાખવા જોઈએ.
· ખોરાક, કપડાં, બિસ્તરા, વાસણો અને વાંચનસામગી વગેરે પોતાના સ્રોતથી મેળવી શકે છે.
જેલમાં સંચાલન અને સ્ટાફઃ
· જેલનું સંચાલન લશ્કરી અને પોલીસ દળથી તદન અલગ રીતે સિવિલિયન સંસ્થા તરીકે હોવું જોઈએ.
· કેદી, કેદીના સગાંસંબંધીઓ અને જેલ સ્ટાફ વચ્ચે વિશ્વાસનો સેતુ અકબંધ રહે તે જેલ તંત્રની સફળતા માટેની ચાવી છે.
· જેલનો સ્ટાફ યોગ્ય રીતે તાલીમબદ્વ, સંસ્કારી અને માનવીય અભિગમવાળો હોય તે અતિઆવશ્યક છે.
|