જેલ ખાતુ
http://www.prisons.gujarat.gov.in

જેલ સ્‍ટાફની ફરજો

7/1/2025 10:34:45 AM

જેલ સ્ટાફની ફરજો

તમામ કેદીઓ સાથે માનવીય અભિગમઃ

  • કેદી જેલમાં દાખલ થયાથી જેલ મુક્ત થાય ત્યાં સુધી તેની સાથે માનવીય અને સન્માનનીય વર્તાવ શારીરિક અને માનસિક ત્રાસ આપવો નહીં.

  • કેદીઓ સામે જરૂર પૂરતો જ (કાબૂમાં રાખવા માટે) બળનો ઉપયોગ કરવો.

  • જેલમાં દાખલ થતાંની સાથે જ કેદીને જેલને સ્પર્શતી બાબતો, તેના હક્કો, ફરજો અને કયા પ્રકારની વર્તણુંક જેલ ગુનો ગણાય તેની સઘળી જાણકારી આપવી. કેદીને મળવાપાત્ર કપડાં, રહેવાની સૂવિધા, સુવાની સુવિધા, જમવાની સુવિધા વગેરે પૂરી પાડવી.

  • કેદીને મળવાપાત્ર સુવિધાઓ જેવી કે રહેઠાણ, ખોરાક, કપડાં તથા બીમારી માટે દવાઓ સંબંધમાં તેનું યોગ્ય ધોરણ (સ્ટાન્ડર્ડ) જાળવવું.

  • કુંદરતી ન્યાયનાં ધોરણો ધ્યાનમાં રાખીને શિસ્ત પાલનના નિયમોનું અમલીકરણ.

  • જેલમાં કેદીને સલામતી માટેનું વાતાવરણ પૂરું પાડવું.

  • કેદીઓ સમાજને ફરીથી અનુરૂપ બને, પોતાના પગપર રહી આજીવિકા મેળવિ જીવન ગુજરાન કરે તેવી તકો જેલવાસ દરમિયાન પૂરી પાડવી.

  • જેલબહાર પોતાના કુટુંબ સાથે સમયાંતરે પરામર્શ કરી શકે તેવી સુવિધા આપવી.

  • જેલમાં કેદીઓને લાઇબ્રેરીનાં પુસ્તકો, વર્તમાનપત્રો અને ટીવી તથા રેડિયોની સુવિધા.

  • જેલમાં કાચા કામમાં રહેલા આરોપીઓનો ગુનો પુરવાર ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ ગણી તેની સાથે વ્યવહાર કરવો જોઈએ.

  • જેલ સ્ટાફને શારીરિક, માનસિક સ્વસ્થતા જાળવવા માટે વખતોવખત વિવિધ પ્રકારની તાલીમ અને થયેલા આધુનિક સુધારાઓથી વાકેફ રાખવા જોઈએ.