હું શોધું છું

હોમ  |

આપ શું કરી શકો
Rating :  Star Star Star Star Star   

આપ શું કરી શકો (કેદીઓના સગા-સંબંધિઓ માટે)

 

  1. પાકા કામના કેદી જેલમાં દાખલ થતા અપીલ કરવાના કામમાં મદદરુપ થવું જોઇએ.
  2. કાચા કામના કેદી જેલમાં દાખલ થતાં જામીન પર મુકત કરાવવા મદદરુપ થવું જોઇએ.
  3. મુલાકાત માટે આવતા પહેલા મુલાકાત થઇ ગયેલ છે કે કેમ? તેની જાણકારી મેળવવી જોઇએ.
  4. કાયદાકીય કામ તેમજ ખુબ જ અગત્યના કામ માટે ખાસ મુલાકાતની માંગણી કરવી જોઇએ.
  5. કેદી માટે બિભત્સ અને વાંધાજનક સાહિત્ય ન હોય તેવા પુસ્તકો અને ધાર્મિક પુસ્તકો આપવા જોઇએ.
  6. કાચા કામના કેદીઓ તેમજ અટકાયતી કેદીઓ માટે બિસ્તર, ખોરાક વગેરે વ્યકિતની જરુરીયાત મુજબની મર્યાદામાં આપવું જોઇએ.
  7. કેદીઓને માસિક રૂ. ૪૦૦૦/- ની મર્યાદામાં ફકત મનીઓર્ડર દ્વારા રકમ મોકલવી જોઇએ.
  8. પાકા કેદીને પેરોલ પર મુકત કરવાની અરજી સાથે જણાવેલ કારણના આધાર માટે સુવાચ્ય દસ્તાવેજો રજુ કરવા જોઇએ.
  9. પેરોલ ફર્લો રજા માટે જામીનદારનું નામ કેદી સાથે નકકી કરી સૂચવવું જોઇએ, અને પોલીસ સમક્ષ નિર્ભય રીતે નિવેદન લખાવવું અને લખાવ્યા બાદ વાંચી સમજવું જોઇએ.
  10. પેરોલ ફર્લોના જામીનદારોએ તે રજાની શરતોનો અમલ કરવો જોઇએ.
  11. કેદીની ગંભીર બીમારી પ્રસંગે રૂબરૂ મુલાકાત લઇ મદદરુપ થવું જોઇએ.
  12. સ્ત્રી કેદી સાથેના બાળકની ઉંમર ૬ (છ) વર્ષ થતા તેના કુટુંબીજનોએ પોતાની સાથે રાખવા કાળજી રાખવી જોઇએ
 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
કાચા કામના કેદીઓને જાણવાજોગ
જેલ રજાઓની યાદી
જેલ સ્ટાફની  ફરજો
આપે શું કરવું / શું ન કરવું

ફરિયાદ

ફરીયાદ નિવારણ કેન્દ્ર
આપના પ્રશ્નો - અમારા ઉત્તરો

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 

 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 24-04-2023