|
આપે શું ન કરવું
- મુલાકાત માટે પાંચથી વધારે વ્યકિતઓએ એક સાથે આવવું જોઇએ નહી.
- મુલાકાત રુમમાં ઘોંઘાટ તેમજ રાજકીય બાબતોની ચર્ચા કરવી જોઇએ નહી.તેમજ જેલ સત્તાવાળાઓ સમજી શકે તેવી ભાષામાંજ વાતચીત કરવી જોઇએ.
- ચાલુ મુલાકાતમાં કેદી સાથે કોઇપણ જાતની લેવડ-દેવડ કરવી જોઇએ નહી.
- બીનજરુરી ખાસ મુલાકાતની માંગણી કરવી જોઇએ નહી.
- પત્ર સાથે જવાબી પોસ્ટકાર્ડ તથા આંતરદેશીય અને પોસ્ટલ કવર સાથે નાણાંકીય નોટસ જેવી વસ્તુઓ મોકલવી જોઇએ નહી.
- પાકા કામના કેદી માટે અંગત કપડાં, બિસ્તર, ખોરાક વિગેરે પાત્રતા ધરાવતા ન હોય આપવા આગ્રહ કરવો જોઇએ નહી.
- કેદીના ખાતામાં જમા કરાવવા રોકડ રકમ જેલ કર્મચારીને આપવી જોઇએ નહી.
- પાકા કામના કેદીઓ જેમની અપીલ પેન્ડીંગ હોય તેમના કિસ્સામાં તેમજ કાચા કામના કેદીઓ માટે પેરોલ અરજી કરવી જોઇએ નહી.
- પાત્રતા ધરાવતા કેદી પોતે ફર્લો અરજી કરતા હોય આવી અરજી કરવી જોઇએ નહી.
|
|